
એવા કારણે નિદોષ ઠરાવી છોડી મુકાયેલ એ આરોપીને સલામત કસ્ટડીમાં રાખવા બાબત
(૧) સદરહુ નિણૅયમાં એવુ જણાવ્યુ હોય કે આરોપીએ કહેવાતુ કૃત્ય કર્યું છે અને જો તે મૃત્યુ એવુ હોય કે આરોપી અસ્થિર મગજનો હોવાનું જણાવ્યું ન હોય તો તેથી કોઈ ગુનો બનત તો જેની સમક્ષ તે વ્યકિતની કાયૅવાહી ચાલતી હોય તે મેજિસ્ટ્રેટે કે કોટૅ (ક) પોતાને યોગ્ય લાગે તેવી જગ્યાએ અને તેવી રીતે વ્યકિતને સલામત કસ્ટડીમાં રાખવાનો હુકમ કરવો જોઇશે અથવા
(ખ) તે વ્યકિતને તેના કોઇ સગા કે મિત્રને સોંપવાનો હુકમ કરવો જોઇશે
(૨) ભારતના પાગલપણ અધિનિયમ ૧૯૧૨ હેઠળ રાજય સરકારે કરેલા હોય તે નિયમો અનુસાર હોય તે સિવાયની રીતે પેટા કલમ (૧)ના ખંડ (ક) હેઠળ આરોપીને પાગલ ખાનામાં રાખવાનો હુકમ કરી શકાશે નહીં.
(૩) કોઇ સગા કે મિત્રની અરજી ઉપરથી હોય અને મેજિસ્ટ્રેટ કે કોર્ટને ખાતરી થાય એવી તે સોંપનાર વ્યક્તિ અંગે નીચે પ્રમાણે કરવાની તે જામીનગીરી આપે તે સિવાય તે વ્યકિતને કોઇ સગા કે મિત્રને સોંપવાનો પેટા કલમ (૧)ના ખંડ (ખ) હેઠળ હુકમ કરી શકાશે નહિ.
(ક) તેની બરાબર સંભાળ રાખવામાં આવશે અને પોતાની જાતને કે અન્ય વ્યકિતને તે ઇજા કરી બેસે નહિ તેની તકેદારી રાખવામાં આવશે (ખ) રાજય સરકાર ફરમાવે તે અધિકારીની તપાસણી માટે અને તે સમયે તથા સ્થળે તેને રજુ કરવામાં આવશે
(૪) મેજીસ્ટ્રેટે કે કોટૅ પેટા કલમ (૧) હેઠળ લીધેલા પગલાનો રાજય સરકારને રિપોટૅ કરવો જોઇશે.
Copyright©2023 - HelpLaw